પુસ્તક વિશે માહિતી
- લેખક: નાકર
- સંપાદક: કેશવરામ કાશીરામ શાસ્ત્રી
- અંક:ગૂજરાતી પદબન્ધ
- આવૃત્તિ:001
- પ્રકાશન વર્ષ:1934
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:410
- પ્રકાશક: શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ
- સહયોગી: ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
નાકર લેખક પરિચય
મધ્યકાલીન આખ્યાનકાર કવિ. આ કવિએ કડવાને અંતે કથાઅંશનો ઉપસંહાર રચીને ‘વલણ’ કે ‘ઉથલા’ની રચનારીતિથી રચનાનું સાતત્ય જાળવતી સાંકળ રચી – તે તેમનું વિશિષ્ટ પ્રદાન છે. ‘વિરાટપર્વ’, ‘રામાયણ’, ‘નળાખ્યાન’ જેવાં કેટલાંય આખ્યાનો તેમણે આપ્યાં છે. તેમાં સમાજજીવનના રંગો ઉમેરીને નાકરે પહેલી વાર આખ્યાનકળાને લોકભોગ્યતા આપી. તેમના અનુગામી અને પ્રસિદ્ધ આખ્યાનકાર પ્રેમાનંદે નાકરની આ પ્રકારની આલેખન-સામગ્રીનો સીધો ઉપયોગ કર્યો છે. નાકરની આખ્યાનેતર લઘુ કૃતિઓમાં શિવરાત્રિ-મહિમા આલેખતો ‘વ્યાધમૃગલી સંવાદ’ જાણીતો છે. બીજો આ ‘સોગઠાનો ગરબો’ જાણીતો છે.
