આજે એકાદશી તન-મન કરનારું વ્રત
Aaje aekadashi tan man kranu vrat
કલ્યાણદાસ
Kalyandas
કલ્યાણદાસ
Kalyandas
આજે એકાદશી તન-મન કરનારું વ્રત એકાદશી૦
આજે હરિજન હૈયે હોસ ધરી,
કરો ભજન પ્રભુનુ ભાવ ધરી;
અંતરથી ઉપાધિ અળગી કરી. આજે એકાદશી૦
આજે હરિજનને હરિમય થાવું,
આજે અન્ય સ્થળે નવ અથડાવું;
હરિરસ અમૃત પીવું પાવું. આજે એકાદશી૦
ઉત્તમ વ્રત છે શુભ એકાદશી,
તે હરિજન ભક્તને હૃદયે વસી;
આજે કીર્તન કરવું કમર કસી. આજે એકાદશી૦
આજે વિનય વિવેક વૈરાગ ધરી,
ખોટી ખટખટને દૂર કરી;
આજે રામનામ લેવું હૃદય ભરી. આજે એકાદશી૦
આ એકાદશી તારણતરણી છે,
આ એકાદશી ભવભયહરણી છે;
એ તો સ્વર્ગે જવાની નિસરણી છે. આજે એકાદશી૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 54)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
