raDo na muj mrityune! - Sonnet | RekhtaGujarati

રડો ન મુજ મૃત્યુને!-

raDo na muj mrityune!

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
રડો ન મુજ મૃત્યુને!-
ઉમાશંકર જોશી

[ચ્હાવાનું ક્હેવું સહુને નથી સ્હેલું કાંઈ.

—જાન્યુ. ૩૦,૧૯૪૮]

‘રડો મુજ મૃત્યુને! હરખ માય છાતીમાં

રે! -ક્યમ તમેય તો હરખતાં હૈયા મહીં?

વીંધાયું ઉંર તેથી કેવળ શું રક્તધારા છૂટી,

અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો?

હતું શું બલિદાન મુજ પવિત્ર પૂરું કે?

અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો?

તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા

અવાક અસહાય હું હૃદયમાં રૂંધી. સત્યને

શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને

ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો! થયું

સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ!

હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.’

‘અમે રડીએ, પિતા, મરણ આપનું પાવન,

કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન.'

અમદાવાદ,૧-ર-૧૯૪૮ (વસંતવર્ષા)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005