ડાયસ્પોરા
પોતાના મૂળ પ્રદેશથી દૂર જઈને વિદેશમાં સ્થાયી થયેલ લોકોના હાથે સર્જાયેલું સાહિત્ય તે ડાયસ્પોરા સાહિત્ય. ડાયસ્પોરિક સાહિત્ય ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહની સાથે સાથે જ સર્જાતું આવ્યું છે. આ સાહિત્ય વિદેશી સમાજની વચ્ચે સર્જાયું હોવાથી એમાં સ્વાભાવિકપણે વિદેશમાંનાં અનુભવો-અવલોકનો તથા વતનઝુરાપો રચનાબદ્ધ થયા છે. ગુજરાતી કવિતાના મહત્ત્વના ડાયસ્પોરા સર્જકોની ચૂંટેલી રચનાઓનો રસથાળ આપની સમક્ષ હાજર છે.