wyapak brahmne koik wichare, je tam jewa jogi re; - Pad | RekhtaGujarati

વ્યાપક બ્રહ્મને કોઈક વિચારે, જે તમ જેવા જોગી રે;

wyapak brahmne koik wichare, je tam jewa jogi re;

બ્રહ્માનંદ બ્રહ્માનંદ
વ્યાપક બ્રહ્મને કોઈક વિચારે, જે તમ જેવા જોગી રે;
બ્રહ્માનંદ

વ્યાપક બ્રહ્મને કોઈક વિચારે, જે તમ જેવા જોગી રે;

અમે તો ભોગીલાં આહિરડાં, ભૂધરજીનાં ભોગી રે.

નામ ને રૂપ મળે નહીં જેને, નહીં જેને આકાર રે;

એવા તેહિ પ્રભુ તમારે; અમારે નંદ કુમાર રે.

મનમોહન લટકાળાને મેલીને, બીજે મન નવ જાવે રે;

અમૃતના પીનારાને ઉધ્ધવ, ખાટી છાશ કેમ ભાવે રે.

અલબેલા નટવર વિના અમને, અંતરે સુખ નવ થાય રે;

સો લાંધણ પડે આવીને સામટી, કેસરી ઘાસ ખાય રે.

અમે વેપાર કરીએ ઉધ્ધવજી, આગલા ભવની ઉધારે રે;

બ્રહ્માનંદ કહે હરી જોએ, પ્રગટ પ્રમાણ અમારે રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981