waishnawjan to tene re kahiye - Pad | RekhtaGujarati

વૈષ્ણવજન તો તેને રે કહીએ

waishnawjan to tene re kahiye

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
વૈષ્ણવજન તો તેને રે કહીએ
નરસિંહ મહેતા

(રાગ આશાવરી)

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;

પરદુખે ઉપકાર કરે ને મન અભિમાન આણે રે. વૈ૦

સકળ લોકમાં સહુને વંદે, નિંદા કરે કેની રે;

વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. વૈ૦

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;

જિહ્વા થકી અસત્ય બોલે, પરદ્રવ્ય ઝાલે હાથ રે. વૈ૦

મોહ-માયા લેપે નહિ તેને, દઢ વૈરાગ્ય તેના મનમાં રે;

રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે. વૈ૦

વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ જેણે માર્યા રે;

ભણે નરસૈંયો : તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. વૈ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997