વાંસલડી! તેં શાં તપ કીધાં રે?
vaansaldii! ten shaan tap kiidhaan re?
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
વાંસલડી! તેં શાં તપ કીધાં રે?
અધર-ધરી તું વનમાં ગાજે, ચિત્ત હરીને લીધાં રે. વાં૦
આઠે પહોર ન મૂકે અળગી, શામળિયા સંગ રાજે રે;
અમ અબળાને ઉર ૫ર આવી બાણ થઈને વાજે રે. વાં૦
કામણ-મોહણ જાણે સઘળું મારા વહાલાજીને (જોયે) રે;
ભણે નરસૈયો : થઈ સ૫રાણી મલપતડી-મન મોહે રે. વાં૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
