Sati Naarne - Pad | RekhtaGujarati

સતી નારને

Sati Naarne

મુક્તાનંદ મુક્તાનંદ
સતી નારને
મુક્તાનંદ

સતી નાર ને પતિ સંગ પ્યાર રે, પતિસેવા ચૂકે લગાર રે;

નિજ ધર્મ રાખે દૃઢ તેહ રે, તેમાં ભૂલે ખંડિત થાય જેહ રે.

તેનો એક એક કરે ઉપવાસ રે, ત્યાગે પતિવ્રતા તન સુખ આશ રે;

સતી સુર ને સંતની રીત રે, સૌથી ન્યારી ને પરમ પુનિત રે.

સતી પતિ સંગ બળવાને જાય રે, પછી ભાગે તો ભ્રષ્ટ કહેવાય રે;

શૂરો રણમાં જઈ પાછો ભાગે રે, તેનાં કુળને તે લાંછન લાગે રે.

ત્યાગી થઈને વિષયમાં લોભાય રે, તે તો શ્વાનથી નીચ કહેવાય રે;

મુક્તાનંદ કહે સતી એમ જાણી રે, રાખે નિજ ધર્મ પરમ શયાણી રે.

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 284)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી
  • વર્ષ : 1998