મન કંઠ કી માલા કરી લે
man kanth kii maalaa karii le
રામગીર જોગી
Ramgir Jogi

મન કંઠ કી માલા કરી લે,
માંહી પવન પૂતળી પરોઈ.
હોઠ કંઠ હાલે નહીં, તેને સેજે સેજ સમરણ હોઈ,
મન મૂળ વચન છે વેલા, કહેતા ગુરુ સુણતા ચેલા.
ઓહંગ સોહંગ નિજનામ, સોહી નિજનામની કરો સેવા,
તો નકળંગ રૂપે ધણી ઘટમાં, આવે દર્શન દેવા.



સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 180)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : પોતે