ram rakhe tem rahiye - Pad | RekhtaGujarati

રામ રાખે તેમ રહીએ

ram rakhe tem rahiye

મીરાંબાઈ મીરાંબાઈ
રામ રાખે તેમ રહીએ
મીરાંબાઈ

રામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ. ઓ૦

આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ઓધવજી!

કોઈ દિન પે'રણ હીર ને ચીર, (તો) કોઈ દિન સાદાં રહીએ. ઓ૦

કોઈ દિન ભોજન શીરો ને પૂરી, (તો) કોઈ દિન ભૂખ્યાં રહીએ. ઓ૦

કોઈ દિન રહેવાને બાગબગીચા, (તો) કોઈ દિન જંગલ રહીએ. ઓ૦

કોઈદિન સૂવાને ગાદી ને તકિયા, (તો) કોઈદિન ભોંય સૂઈ રહીએ.ઓ૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સુખદુઃખ સૌ સહી રહીએ. ઓ૦

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997