રાખ ભવસિંધુના અતાગ મહા ભય થકી નામ-નારાયણ નાવ મેલી
raakh bhavsindhunaa ataag mahaa bhay thakii naam-naaraayan naav melii
નરસિંહ મહેતા
Narsinh Mehta
રાખ ભવસિંધુના અતાગ મહા ભય થકી નામ-નારાયણ નાવ મેલી
raakh bhavsindhunaa ataag mahaa bhay thakii naam-naaraayan naav melii
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
રાખ ભવસિંધુના અતાગ મહા ભય થકી નામ-નારાયણ નાવ મેલી;
ઘોર ભવસિંધુની વેળની રેલમાં મહેરના પવનને મેલ ઠેલી. રા૦
વિષય-તૃષ્ણાહરો, મોહ મન ના ધરો, હું ને મારું જગત તેમાં બૂડો;
તું થકી વેગળા આસુરીમાં ભળ્યા, શરણ આવ્યા જેનો અખંડ ચૂડો. રા૦
સુખ તો અલ્પ ને દુઃખ સાગર જસું, જન્મિયો જંતુ તે જન્મરોગી;
એક નિશ્ચે તારા નામનો આશરો, હશે કોઈ વીરલો તેનો ભોગી. રા૦
કલેશ આ વિશ્વના તાપ નિવારવા મંગલ શ્રીકૃષ્ણનું નામ જાણો;
બેઉ કર જોડીને નરસૈંયો વીનવે : ભવજળ બૂડતાં બાંહે તાણો. રા૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 93)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
