pet kataarii re, periine samukh chaalyaa - Pad | RekhtaGujarati

પેટ કટારી રે, પેરીને સનમુખ ચાલ્યા

pet kataarii re, periine samukh chaalyaa

બ્રહ્માનંદ બ્રહ્માનંદ
પેટ કટારી રે, પેરીને સનમુખ ચાલ્યા
બ્રહ્માનંદ

પેટ કટારી રે, પેરીને સનમુખ ચાલ્યા,

પાછા વળે રે, કોઈના તે રહે ઝાલ્યા.

આમા સામાં રે, ઊડે ભાલાં અણિયાળાં,

તે અવસરમાં રે, રહે રાજી તે મતવાળા.

સાચા શૂરા રે, વેરી જેના ઘાવ વખાણે,

જીવિત જૂઠું રે, મરવું તે મંગળ જાણે.

તેની પેરે રે, હરિજન પણ જોઈએ તીખા,

અંતરશત્રુને રે, લાગે અતિ વજ્ર સરીખા.

માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે,

બ્રહ્માનંદ કહે રે, એવા સંત હરિ મન ભાવે.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991