ઓ દીસે, સખી! મેહલો આવ્યો
o diise, sakhii! mehulo aavyo
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ સામેરી)
ઓ દીસે, સખી! મેહલો આવ્યો, ના'વ્યો મારો નાથ વિદેશી રે;
અનંગ આહેડીએ ધનુષ ચઢાવ્યું, અમ અબળાની ૫ર કસી રે. ઓ૦
અંબર ગાજે, વીજ ઝબૂકે, મેહુલિયે ઝડ માંડી રે,
નિર્ગુણને શું કહીએ? - બહેની! નાથ ગયો ઘર છાંડી રે. ઓ૦
આગે દોહેલે દિન નીગમતી, દાદુર-મોર બિહાવે રે;
વિરહિયાંચા વેરી ચાતુક સૂતાં સાલ જગાવે રે. ઓ૦
એણી રતે ૫રદેશ પધાર્યા તે નર પશુઆં કહીએ રે;
નરસૈંયાચા સ્વામી! કહું તમને ખિણ એક અળગા ન રહીએ રે. ઓ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
