ઓ અક્રૂરજી! ગોકુળમાં તમે શા કારણે આવ્યા
o akrurjii! gokulmaan tame shaa karane aavyaa
દયારામ
Dayaram
ઓ અક્રૂરજી! ગોકુળમાં તમે શા કારણે આવ્યા
o akrurjii! gokulmaan tame shaa karane aavyaa
દયારામ
Dayaram
દયારામ
Dayaram
ઓ અક્રૂરજી! ગોકુળમાં તમે શા કારણે આવ્યા?
મારાં સુખડાં લઈ દુઃખના દરિયા શું કરવાને લાવ્યા?
તમે માતપિતા! કહું તે કરજો, આ વચન અમારાં હૃદે ધરજો,
મને મારીને ડગલાં ભરજો. ઓ અક્રૂરજી!
અહીં શું કામ છે તમારું? ઘણું ચિત્ત કલપે છે અમારું,
આ નંદજસોદા કહે, 'સારું.' ઓ અક્રૂરજી!
આ વિનતી તો કોનેં કહીએ? હૈયામાં સમજીને રહીએ,
ઘણું નિર્લજ્જ કર્યાં નંદને છૈયે! ઓ અક્રૂરજી!
મારે ઝાઝે હેતે હળવું છે, કુબ્જાને ભાગ્યે મળવું છે,
મારા મામાજીને મળવું છે. ઓ અક્રૂરજી!
તમે કારજ કરીને આવજો. સુખે તેને તેડી લાવજો,
તમે દયાસખીને મન ભાવજો. ઓ અક્રૂરજી!
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
