narayananun nam letan - Pad | RekhtaGujarati

નારાયણનું નામ લેતાં

narayananun nam letan

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નારાયણનું નામ લેતાં
નરસિંહ મહેતા

નારાયણનું નામ લેતાં વારે તેને તજીએ રે;

મનસાદ-વાચા-કર્મણાએ શ્રીલક્ષ્મીવરને ભજીએ રે. ના૦

કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ મા ને બાપ રે;

ભગિની, સુત, દારાને તજીએ, જેમ તજે કાંચળી સાપ રે. ના૦

પ્રથમ પિતા પ્રહ્લાદે તજિયા, નવ તજિયું હરિનું નામ રે;

ભરત-શત્રુઘ્ને માતા તજિયાં, નવ તજિયા શ્રીરામ રે. ના૦

ઋષિ-પત્નીએ શ્રીહરિને કાજે તજિયા નિજ ભરથાર રે;

તે માટે કોઈ દોષ લાગ્યો, પામી પદારથ ચાર રે. ના૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997