nandjinun anganun param raliyamanun - Pad | RekhtaGujarati

નંદજીનું આંગણું પરમ રળિયામણું

nandjinun anganun param raliyamanun

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નંદજીનું આંગણું પરમ રળિયામણું
નરસિંહ મહેતા

(રાગ પ્રભાતી)

નંદજીનું આંગણું પરમ રળિયામણું, સદા રે સોહામણું કૃષ્ણે કીધું;

જાણે વૈકુંઠ-કૈલાસ-બ્રહાસદનથી, ઈંદ્રના ભવનથી અધિક કીધું.

નંદજીનું

સકળ તીરથ જિહાં વાસ વસે વીઠલો, ઇંદ્ર-અજ-ઈશ ને દેવ સઘળા;

ભક્ત વિના ભૂધરો વશ નહીં કોઈને, એક તે એકથી અધિક સબળા.

નંદજીનું

માત ઊભાં હસે, નાથ સંમુખ ધસે, દાસ વસે તિહાં પ્રેમ-પ્રીતે;

ભણે નરસૈયો : ગોકુળ પ્રગટિયા, બાળલીલા રમે એણી રીતે.

નંદજીનું 3

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997