કોઈ મન-વૃત્તિને વારો
koii man-vruttine vaaro
રવિસાહેબ
Ravisaheb

કોઈ મન-વૃત્તિને વારો : બોલે એકતારો-એકતારો.
પાંચ તત્ત્વ કા બન્યા તંબૂરા દાતા, નુરત-સુરત ખેલ ન્યારો,
ઓહં સોહં સબ ઘટ રચિયો, દાતા! ભભકું દિયે તેને ભાળો... બોલે૦
નુરત-સુરત કી કેડી રચાઈ દાતા! હેરનહારાને હેરો,
સત-શબ્દ સે જે જન સિધ્યા, એનો મિટ્યો ચોરાશીનો ફેરો... બોલે૦
કહે ‘રવિદાસ’ સંતો ભાણ પ્રતાપે, બાવન અક્ષરથી બોલે બારો,
મારો એકતારો-એકતારો, કોઈ મન-વૃત્તિને વારો! – બોલે એકતારો... બોલે૦



સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 294)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ