કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર
kesarbhiinaa kahaanjii, kasunbe bhiinii naar
નરસિંહ મહેતા
Narsinh Mehta
કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર
kesarbhiinaa kahaanjii, kasunbe bhiinii naar
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર,
લોચન ભીનાં ભાવ-શું, ઊભાં કુંજને દ્વાર.
બેમાં સુંદર કોને કહીએ : વનિતા કે વ્રજનાથ?
નિરખું, ૫રખું પુરુષોત્તમને, માણેકડાં બેહુ હાથ.
વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુ રોળ.
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
