Kanudo Kalja ni Kor Chhe - Pad | RekhtaGujarati

કાનુડો કાળજાની કોર છે

Kanudo Kalja ni Kor Chhe

મીરાંબાઈ મીરાંબાઈ
કાનુડો કાળજાની કોર છે
મીરાંબાઈ

કાનુડો કાળજાની કોર છે.

મોરમુકુટ પીતાંબર સોહે, કુંડલકી ઝકઝોર છે.

વૃન્દાવનની કુંજગલનમાં, નાચત નંદિકશોર છે.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત્તચોર છે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011