ઝારીનાં પદ
jhaariinaa pada
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.
બાંહે બાજુબંધ બેરખા સોહે, મનડું મોહ્યું છે એને ચૂડે;
ઝાંઝર ઝમકે ને વીંછુઆ ઠમકે, હીંડે છે વાંકે અંબોડે. આ૦
સોવણઝારી અતિ રે સમારી, માંહે નીર ગંગાજળ હોડે;
નરસૈયાને પાણી પાવાને મારા વહાલોજી આવ્યા છે કોડે. આ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
