ishwar chhe te vishe - Pad | RekhtaGujarati

ઈશ્વર છે તે વિષે

ishwar chhe te vishe

દલપતરામ દલપતરામ
ઈશ્વર છે તે વિષે
દલપતરામ

(મનહર છંદ)

પવન પ્રગટ નહીં પેખવામાં આવે પણ,

ઝાડોને હલાવે તેથી પવન જણાય છે;

નદી મધ્યે નીરતણું નિરખી નવીન પૂર,

દૂર વરસાદ થયો, દિલમાં મનાય છે;

દૂર દિસે દેવતા તે દૃષ્ટિએ દેખાય નહિ,

ધૂમાડો દેખીને દૂર દેવતા ધરાય છે;

તેમ કરતાર તણાં કામ દલપતરામ,

દેખી કરતાર છે એવું કહી શકાય છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002