Haribhajan Vina, Dukhdariya Sansarno Par Na Aave - Pad | RekhtaGujarati

હરિભજન વિના, દુ:ખદરિયા સંસારનો પાર ન આવે

Haribhajan Vina, Dukhdariya Sansarno Par Na Aave

પ્રીતમ પ્રીતમ
હરિભજન વિના, દુ:ખદરિયા સંસારનો પાર ન આવે
પ્રીતમ

હરિભજન વિના, દુઃખદરિયા સંસારનો પાર આવે;

જડબુદ્ધિ જીવ, સંત વિના શુદ્ધ મારગ કોણ બતાવે.

તેં અનેકવાર અવતાર ધર્યા, બહુ કર્મ તણા કોઠાર ભર્યા;

અઘઓઘ તણા અંબાર કર્યા. હરિ...

તું ઝાડ પહાણ જડ રૂપે રહ્યો, તેં શીત વૃષા બહુ તાપ સહ્યો;

તારો ક્લેશ કોણે નવ જાય કહ્યો. હરિ...

ફર્યો ચાર ખાણ લક્ષ ચોરાશી, થયો જળચર સ્થળચર નભવાસી;

માયાબંધનથી શક્યો નાસી. હરિ...

પામ્યો મનુષ્યદેહ તેમાં મણા, ધનધામ પુત્ર પરિવાર ઘણા;

હવે ગાઈ લે ગુણ ગોવિંદ તણા. હરિ...

કહે પ્રીતમ ચેતી લે પ્રાણી, એવું જનમ મરણનું દુઃખ જાણી;

શું સૂતો છે આળસ આણી. હરિ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ