છયેં રે દુ:ખિયાં
Chhanye re dukhiya
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
છયેં રે દુઃખિયાં, અમે નથી સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.
વા ને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા !
સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં. – મોરી૦
છીછરા જળમાં અમે રે જીવી ન શકીએ વા’લા !
ઊંડાં રે જળનાં અમે છયેં મછિયાં. – મોરી૦
પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા !
નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં. – મોરી૦
‘બાઈ મીરાં’ કે'છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા !
ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં. - મોરી૦
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.
સ્રોત
- પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 151)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2011
