ભજન ભરોંસે, અવિનાશી
Bhajan Bharose, Avinashi
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
ભજન ભરોંસે, અવિનાશી, મેં તો ભજન ભરોંસે, અવિનાશી!
જપતપ તીરથ કાંઈયે ન જાણું, ફરત મેં ઉદાસી રે.
મંત્ર ને તંત્ર કાંઈયે ન જાણું, વેદ પઢ્યો ન ગઈ કાશી રે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલની દાસી રે.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
