anant naamnun osaad maare - Pad | RekhtaGujarati

અનંત નામનું ઓસડ મારે

anant naamnun osaad maare

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
અનંત નામનું ઓસડ મારે
નરસિંહ મહેતા

(રાગ આશાવરી)

અનંત નામનું ઓસડ મારે, જેનાં ભાગ્ય હોય તેને ભાવે રે;

વૈષ્ણવ વૈદની પાસે વસીએ તો રવિસુત તેને ઘે૨ ના'વે રે.

હરિ હરડે ને સૂંઠ સારંગધર, અવિનાશી અજમાણ રે;

કહું કૃષ્ણ ને સાકર શામળિયો, સંચળ રામ રસાયણ રે.

ચોખ્ખું ચૂરણ ચત્રભુજ કેરું, અને બહુનામીની બૂકી રે;

ગોવિંદ નામની ગોળી રે વાળી, માંહે હરિચરણોદક ભૂકી રે.

એવાં એવાં ઔષધ તો અંગ લાગે, જો કરીએ રહેવાયે રે;

મોહમાયાનો મચ્છર ઘણેરો, પાછો ખેલો થાય રે.

કૃપા કરીને ઔષધ દીજે, યજ્ઞપુરુષ જદુરાય રે!

નરસૈંયાના સ્વામીને સંગે રમતાં જમ શિર જાંગી ના વાય રે.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994