aetlii shikhaaman daii - Pad | RekhtaGujarati

એટલી શિખામણ દઈ

aetlii shikhaaman daii

પાનબાઈ પાનબાઈ
એટલી શિખામણ દઈ
પાનબાઈ

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને,

વાળ્યું પદ્માસન રે,

મન, વચનને સ્થિર કરી દીધું ને,

ચિત્ત જેનું પ્રસન્ન રે... એટલી૦

ભાઈ રે! ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને,

લાગી સમાધિ અખંડ રે,

મહાદશા પ્રગટી તે ઘડી ને,

હરિને જોયાં તે પિંડ બ્રહ્માંડ રે... એટલી૦

ભાઈ રે! બ્રહ્મરૂપ જેની વરતી બની ગઈ ને,

અંતર રહ્યું નહિ લગાર રે,

સુરતાએ શૂનમાં જઈને વાસ કીધો ને,

થયા અરસપરસ એકતાર રે... એટલી૦

ભાઈ રે! નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને,

વરતી લાગી ઈંડથી પાર રે,

‘ગંગાસતી’નું શરીર પડી ગયું ને,

મળી ગયો હરિમાં તાર રે... એટલી૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : લક્ષ્મણ પિંગળશીભાઈ ગઢવી
  • પ્રકાશક : શ્રી મેરુભા ગઢવી સ્મૃતિ પ્રકાશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ