આપો કોઈ
Aapo Koi
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
મનના મેવાડમાં એક રાણો વસે છે;
એ રાણાને અહીંથી ઉથાપો કોઈ.
મને મીરાંનું પાગલપન આપો કોઈ!
મને મેવાડી મ્હેલ હવે જોઈતા નથી.
હીરા-મોતીના ખેલ હવે જોઈતા નથી.
મારા જ કરંડિયાને સાપ તો ડસે :
એ સાપને તો અહીંથી ઉથાપો કોઈ
મને મીરાંનું વૃંદાવન આપો કોઈ!
હરિ-આવનની આવાજને સાંભળ્યા કરું.
અહીં દિવસ ને રાત : દીપ બાળ્યા કરું.
નૈનનમેં નંદલાલ એવા શ્વસે :
મને પ્રીતિ પુરાતન આપો કોઈ
અને મીરાંનું વૈરાગન આપો કોઈ
હવે સાંવરિયો મનભાવન થાપો કોઈ!
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
