maun - Muktak | RekhtaGujarati

મારા અરે મૌનસરોવરે

કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;

મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ

તરંગની વર્તુલશૃંખલામાં.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ