કાતર અને સોય
katar ane soy
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(ઇન્દ્રવિજય)
એક જ વંશ વિષે ઊપજ્યાં, સહવાસ સદૈવ નિવાસ વસાવે;
એક ગુરુ ઉપદેશ તથાપિ, મિજાજ કદી મળતો નહિ આવે.
દેખી જુઓ દલપત્ત કહે, દરજી તણી પેઢી વિષે દરશાવે;
કાતર કાપી કરે અળગાં, પણ સોય સદૈવ સલાહ કરાવે.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
