સમુદ્રના દોષ
Samudra na Dosh
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(વસંતતિલકા વૃત્ત)
લે છે નદી નદતણું વળિ લે બિજાનું,
વર્ષાદનું જળ લઈ ભુવને ભર્યાનું;
પીવા તૃષિત જનને પળિયે ન દેવું,
સિંધુ શિખ્યો કૃપણ ભૂપનું કામ એવું.
*
રે રે મૃગો નિધિતણું બહુ નીર જોઈ,
આશા ધરી નવ જશો નિધિ પાસ કોઈ;
એ તો બધુંય જળ સંઘરી રાખવાનું,
પામે ન કોઈ તરશો પળિયે પિવાનું.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
