maagnii - Metrical Poem | RekhtaGujarati

આવે ત્યારે દઈ નવ શકું અંતરે જે ભર્યું તે,

જાયે ત્યારે સહી નવ શકું અંતરે જે રહ્યું તે :

દેવાનું હું દઈશ સમજી, એમ માની લઈને,

- માગું છું કે - નવ નીરખતો રાહ નિષ્ઠુર થૈને :

લૂંટી લેજે પણ સકલ જે મૌન કેરા કમાડે

વાસી રાખ્યું : મુજ પ્રબળ ઇચ્છા નહીં જાણતો એ?

સ્રોત

  • પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : પ્રહ્લાદ પારેખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1970
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ