Narsinh Mehta na Otaa Vishe - Metrical Poem | RekhtaGujarati

નરસિંહ મહેતાના ઓટા વિષે

Narsinh Mehta na Otaa Vishe

દલપતરામ દલપતરામ
નરસિંહ મહેતાના ઓટા વિષે
દલપતરામ

(સવૈયા)

છત્ર નથી શિર છાપરું છે નહિ છે છતમાં પણ છેકજ છોટો;

તોપણ છે ત્રણલોક પ્રસિદ્ધ સુમેરુ થકી મહિમા બહુ મોટો,

તત્વ અનેકનું તત્વજથા પ્રગટે મહત્વ તણો પરપોટો,

મહેતા નરસિંહ તણો અઘનાશક પુણ્ય પ્રકાશક ઓટો.

*

જો નહિ સોરઠ દેશ ફર્યો પરદેશ વિશેષ ફર્યો ફર્યો,

જો ગિરનાર પ્રવેશ કર્યો પ્રયાગ પ્રવેશ કર્યો કર્યો;

જો દામોદરકુંડ તર્યો સરિતા જલ સર્વ તર્યો તર્યો,

જો ધિર જન્મ ગયો જુનેગઢ તો જન જન્મ ધર્યો ધર્યો.

*

જ્યાં ન૨૨ત્ન ઘણાં નિપજે, અવની પણ પ્રાચીન કાળની એવી,

ખાસિ ખરેખરી રત્નની ખાણ વખાણી વિશેષ કહે કવિ કેવી;

ઇંદ્રપુરિ અલકાપુરિ કે લક્ષમિવરની પુરિ તે ગણી લેવી,

જોઈ ઘણી જગમાંહિ જગા પણ જોઈ નથીજ જુનાગઢ જેવી.

રસપ્રદ તથ્યો

1. છત્ર નથી શિર છાપરું છે નહિ છે છતમાં પણ છેકજ છોટો = છત્ર નથી શિર છાપરું છે છતમાં પણ છે વળી છેકજ છોટો (પાંચમી આવૃત્તિ)

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002