kavyani nirarthakta - Metrical Poem | RekhtaGujarati

કાવ્યની નિરર્થકતા

kavyani nirarthakta

હરિહર ભટ્ટ હરિહર ભટ્ટ
કાવ્યની નિરર્થકતા
હરિહર ભટ્ટ

(ઝૂલણા; માલકોશ)

તું મહાકાવ્ય થઇ વિશ્વ વ્યાપી રહ્યો,

ત્યાં વળી કવિતડું શું કરૂં હું?

અખિલ બ્રહ્માંડ રસરાજ રેલી રહ્યો,

રસ તણી વાડકી શું ધરૂં હું?

સૃષ્ટિ શણગારી અદ્ભુત અલંકારથી,

વાગ્-અલંકાર સૌ વ્યર્થ ભાસે;

મોહ નથી કાવ્યનો; માત્ર જીવી રહ્યો

તુજ મહાકાવ્યની એક આશે.

સ્રોત

  • પુસ્તક : હૃદયરંગ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : હરિહર પ્રાણશંકર ભટ્ટ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1934