wajan wagyan - Lokgeeto | RekhtaGujarati

વાજાં વાગ્યાં

wajan wagyan

વાજાં વાગ્યાં

અંતર જંતરનાં વાજા વાગ્યાં રે લોલ,

વાગ્યા વાગ્યા તાંબાળુ ઢોલ;

હું તો નઈં જાઉં મારી સાસરી રે લોલ.

સાસરે જાઉં તો સાસુ બોલશે રે લોલ,

મારા સસરાજીના કવઠા બોલ;

હું તો નઈં જાઉં મારી સાસરી રે લોલ.

સાસરે જાઉં તો જેઠાણી બોલશે રે લોલ,

મારા જેઠજીના કવઠા બોલ;

હું તો નઈં જાઉં મારી મારી સાસરી રે લોલ,

સાસરે જાઉં તો દેરાણી બોલશે રે લોલ.

મારા દિયરના કવઠા બોલ;

હું તો નઈં જાઉં મારી સાસરી રે લોલ,

અંતર જંતરનાં વાજાં વાગ્યાં રે લોલ,

વાગ્યા વાગ્યા તાંબાળું ઢોલ,

હું તો નઈં જાઉં મારી સાસરી રે લોલ,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 205)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968