paththarna paDthar - Lokgeeto | RekhtaGujarati

પથ્થરના પડથાર

paththarna paDthar

પથ્થરના પડથાર

વનમાં વનફૂલ વીણે સીતા ને રામ સ્નેહે વસે છે.

વનમાં રામેં મઢી બનાવી,

ત્યાં વસે સીતા ને રામ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

વે’તી ગોદાવરીને કાંઠે વસે છે,

વનમાં કીધાં છે વાસ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

ગાદી ને તકીયા વનમાં ક્યાંથી?

પથ્થરના છે પડથાર, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

મેડી ને મોલાત વનમાં ક્યાંથી?

ઝુંપડીમાં કીધા વાસ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

ભાવતાં ભોજન વનમાં ક્યાંથી?

વનફળ વીણી ખાય, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

દાસ ને દાસીયું વનમાં ક્યાંથી?

ભીલડાંના છે સાથ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

સગાં ને વા’લા વનમાં ક્યાંથી?

સાથે છે ઝાડવાનાં ઝુંડ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, હરિભાઈ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968