jay te jawana sahu - Lokgeeto | RekhtaGujarati

જાય તે જાવાના સહુ

jay te jawana sahu

જાય તે જાવાના સહુ

જાય તે જાવાના સહુ, જશે જનમનાર રે;

મૂઆં તેને તમે શું રુવો રોનાર નથી રહેનાર રે;

—જીવો મણીગર બંધવા!

માળી આવ્યો ફૂલ વેડવા રે, કળીઓ કરે રે વિચાર

આજનો દિન રળિયામણો, કાલે આવશે આપણી વાટ રે;

—જીવો મણીગર બંધવા!

કોનું છોરું? કેનાં વાછરું? કેનાં માય ને બાપ?

અંતકાળે જવું એકલાં, સાથે પુણ્ય ને પાપ રે,

—જીવો મણીગર બંધવા!”

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964