rishina swami - Lokgeeto | RekhtaGujarati

ઋષિના સ્વામી

rishina swami

ઋષિના સ્વામી

બાગુમાં આંબા આંબલી, પછવાડે કેળ્યુંના થંભ રે;

ઋષિના સ્વામી, રામને સંદેશે વે’લા આવજો રે.

રામચંદ્રને જાવું તીરથે રે, લખમણ વળાવવાને જાય રે;

ઋષિના સ્વામી; રામને સંદેશે વે’લા આવજો રે.

ભરતજીને જાવાં તીરથે રે, શત્રુઘન વળાવવાને જાય રે;

ઋષિના સ્વામી; રામને સંદેશે વે’લા આવજો રે.

બાગુમાં આંબા આંબલી, પછવાડે કેળ્યુંના થંભ રે;

ઋષિના સ્વામી, રામને સંદેશે વે’લા આવજો રે.

લખમણને જાવું તીરથે રે, ભરતજી વળાવવાને જાય રે;

ઋષિના સ્વામી; રામને સંદેશે વે’લા આવજો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચનગૌરી પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968