ક્ષત્રિય અને બ્રાહ્મણ
kshatriy ane brahman
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(મનહર)
એક સમે એક ક્ષત્રિ આગળ બ્રાહ્મણે કહ્યું,
અરે આજ અસલના ક્ષત્રિ યાદ આવિયા;
દેશમાં ન થવા દેતા પરદેશીનો પ્રવેશ,
જેઓએ સંગ્રામ સજી જશ સંપડાવિયા;
અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ,
શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા;
કહે દલપતરામ સુણીને ક્ષત્રિયે કહ્યું;
અસલના ઋષિઓના રક્ષણે સિધાવિયા.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
