ek sharnaiwalo - Kavit | RekhtaGujarati

એક શરણાઈવાળો

ek sharnaiwalo

દલપતરામ દલપતરામ
એક શરણાઈવાળો
દલપતરામ

(મનહર છંદ)

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,

રાગ રાગણી વગાડવામાં વખાણાયો છે;

એકને જાચું એવી ટેક છેક રાખી, એક

શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,

ગાયક લાયક તું ફોકટ ફુલાણો છે;

પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શી કારીગરી,

સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008