raasmaalaanaa pustak vishe (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

રાસમાળાના પુસ્તક વિષે (ફાર્બસ વિરહ)

raasmaalaanaa pustak vishe (Farbas Virah)

દલપતરામ દલપતરામ
રાસમાળાના પુસ્તક વિષે (ફાર્બસ વિરહ)
દલપતરામ

પુસ્તક પ્રત્યક્ષ મન માન્યું દીસે મધુવન

પ્રકરણ પ્રૌઢ વૃક્ષ રસિક રૂપાળા છે;

પેખીએ પવિત્ર પત્ર, વાક્યફળ ફુલ તત્ર,

બનેલી છબીઓ તે તો બની ગોપ બાળા છે;

નૃપ કુળ વરણનું ગણું ગીત ગાનતાન,

ગોઠવેલા રાગ ગોપ વાંસળીઓ વાળા છે;

દીસે નવ રસ મય દાખે દલપતરામ,

રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે.

રસપ્રદ તથ્યો

મધુવન - વ્રંદાવન; રસાળા - પૃથ્વી

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002