man vaalvaa vishe (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

મન વાળવા વિષે (ફાર્બસ વિરહ)

man vaalvaa vishe (Farbas Virah)

દલપતરામ દલપતરામ
મન વાળવા વિષે (ફાર્બસ વિરહ)
દલપતરામ

(મનહર છંદ)

અરે જીવ બન્યું જગજીવને બનાવ્યું જેમ,

તેનો પરિતાપ કીધે પાપ ફળ ફળશે;

કીધાથી હમેશ ક્લેશ વેદના વિશેષ થશે,

કાંતો તારૂં કાળજું ટકાવમાંથી ટળશે;

તે માટે તું તજ શોક, ભજ તું ત્રિલોકનાથ,

ફારબસ મિત્ર ફરી મોક્ષ મધ્યે મળશે;

ગયાં એટલાં વરસ વયનાં ગુમાવાં નથી,

જો તું કાળ વેગ કાળ જલદી નિકળશે.

(દોહરા)

પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ખચીત;

પ્રીત કરશો કોઈશું, પ્રીત રીત વિપરીત.

વિનાશવાળી વસ્તુ જે, તે સાથે શો સ્નેહ,

સદા ગયા પછી સાંભરે, દિન દિન દાઝે દેહ.

(સોરઠા)

મહા રોગની રીત, પ્રીત વિષે પ્રત્યક્ષ છે;

કોઈ કરશો પ્રીત, પ્રીત કરે દુખ પ્રાણને.

જન સઘળા જોનાર, જે અંબે અંબે કહે;

કરે સતી પોકાર, શબ્દ કોણ તે સાંભળે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002