છમાસ વિત્યા વિષે (ફાર્બસ વિરહ)
chhamaas vityaa vishe (Farbas Virah)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(ઇંદ્રવિજય છંદ)
છેટું પડ્યાથી છમાસ જતા, છુટતું સુખ શોકથી છાતી છવાતી;
પત્ર મળે નહિ તો દલપત્ત, અધીરણીથી નહિ ધીર ધરાતી;
ઉઠતી આંચ અચાનકમાં, નિજ થાનકમાં પણ થીર ન થાતી,
ફાર્બસ મિત્ર જતાં નથી ફાટતિ, છેક કઠોર ઠરી મુજ છાતી.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 105)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002
