sanjna watawaranni e ja to takliph chhe - Ghazals | RekhtaGujarati

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે

sanjna watawaranni e ja to takliph chhe

પ્રણવ પંડ્યા પ્રણવ પંડ્યા
સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
પ્રણવ પંડ્યા

સાંજના વાતાવરણની તો તકલીફ છે,

બહુ વલોવે છે : સ્મરણની તો તકલીફ છે.

ઝંખના જીવલેણ છે જાણીને પણ ઝંખના!

જીવતાં પ્રત્યેક જણની તો તકલીફ છે.

મૌન પાછળ લાગણી ઢાંકી શક્યું ના કોઈપણ,

સાવ પાંખા આવરણની તો તકલીફ છે.

ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ,

હું અભણ છું, ને અભણની તો તકલીફ છે.

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,

મળતું બિલ્લિપગ, મરણની તો તકલીફ છે.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006