lilunchham - Ghazals | RekhtaGujarati

લીલુંછમ

lilunchham

જયન્ત પરમાર જયન્ત પરમાર

ભીની કબરના હાથમાં ફૂલો મૂકી ગયું,

કોણ મારા ઘાવને તાજા કરી ગયું?

નીકળી ગયો કાંટો હવે કૈંક ચેન છે,

મિસરો કહ્યોને શબ્દમાં દુ:ખ પણ ઢળી ગયું.

કોઈ નથી મકાનમાં કોઈ નથી છતાં,

કોણ અંધકારમાં બત્તી કરી ગયું?

કાંઠા ઉપર સુકાયેલાં પગલાં હતાં ‘જયંત’

મૂંગૂં તળાવ કોણ લીલુંછમ કરી ગયું ?

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999