sachrachar na tha - Ghazals | RekhtaGujarati

સચરાચર ન થા

sachrachar na tha

ચિનુ મોદી ચિનુ મોદી
સચરાચર ન થા
ચિનુ મોદી

જોતજોતાંમાં સમજથી પર થા,

ઘર ત્યજી આમ સચરાચર થા.

ઝાંઝવા કે આંસુથી છીપે તરસ?

એક બળતા રણ ઉપર ઝરમર થા.

સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે,

પુષ્પ રૂપે તું તરત હાજર થા.

વૃક્ષનો ભેંકાર મારામાં ભર,

એક પંખી! આટલું સુંદર થા.

ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે,

જાત જોવામાં મને નડતર થા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004