sakshatkar sidinan saat pagathiyaan - Ghazals | RekhtaGujarati

સાક્ષાત્કાર સીડીનાં સાત પગથિયાં

sakshatkar sidinan saat pagathiyaan

કાજી અનવર મિયાં કાજી અનવર મિયાં
સાક્ષાત્કાર સીડીનાં સાત પગથિયાં
કાજી અનવર મિયાં

કહોને સખી શ્યામ વિના કેમ રહિયે રે! -ટેક

શનિવારે સખી મ્હારા સ્વામી રે મહાસુનમાં રહ્યા પ્રેમધામી રે,

મુને મળતા નથી મોક્ષગામી : કહોનેo

રવિવારે મળે કોઈ રૂખી રે મુને અગમગઢ આવે મૂકી રે,

સુનમાં પ્હોંચી ને થાઊં હું સૂખી : કહોનેo

સોમવારે તે સુખમણ સેજે રે પોઢી દેખે શ્યામળિયાનૂં તેજે રે,

ત્યાંથી સૂરત સામૈયૂં ભેજે : કહોનેo

મંગળવારે તે મહાસુન માંહે રે તાલ મૃદંગ અનહદના થાયે રે,

ધોળ મંગળ પ્રેમનાં ગાયે : કહોનેo

બુધે શુદ્ધિ શરીરની ખોઈ રે નિજ મૂર્તિ પ્રત્યક્ષે જોઈ રે,

નથી આપ વિના બિજૂં કોઈ : કહોનેo

ગુરુવારે બ્રહ્મ રૂપ જોયૂં રે ચિત્ત મ્હારું શ્યામળિયાથી મોહ્યૂં રે,

દુ:ખ પાંચ પચીસનું ખોયૂં : કહોનેo

શુક્રવારે શિખર ગઢ આવી રે સુરતી અગમ અગોચર લાવી રે

દેખ્યાં અલખ નિરંજન ભાવી : કહોનેo

સાત વાર કહ્યા સર્વ પૂરા રે “જ્ઞાની” પ્રેમમાં થઈ ચકચૂરા રે,

રહે છે આઠ પ્હોર હજૂરા : કહોનેo

રસપ્રદ તથ્યો

મહાસુન : માયા મોહથી વિરક્ત થઈ શૂન્ય થયેલી મતિ

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931