koi aaviine ughaade baarnaan - Ghazals | RekhtaGujarati

કોઈ આવીને ઉઘાડે બારણાં

koi aaviine ughaade baarnaan

ભરત વાઘેલા ભરત વાઘેલા
કોઈ આવીને ઉઘાડે બારણાં
ભરત વાઘેલા

કોઈ આવીને ઉઘાડે બારણાં.

બધી ખોટી પડી છે ધારણા.

એક કૂણી ડાળખી તૂટી પડી,

મૂળમાં ફૂટે પછી સંભારણાં.

તું નથી તો આંખને ઉપવાસ છે,

તું આવીને કરાવે પારણાં.

છબીમાં રહી મને જોયા કરે,

મા હવે લેતી નથી ઓવારણાં.

ધારણામાં જે કદીયે હોય ના,

આવીને ઉઘાડે બારણાં.

સ્રોત

  • પુસ્તક : પરબ : ઓક્ટોબર ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : કિરીટ દૂધાત
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ