કોઈ મારે આંગણે આવે નહીં
koii maare aangne aave nahiin
ભગવતીકુમાર શર્મા
Bhagwatikumar Sharma
ભગવતીકુમાર શર્મા
Bhagwatikumar Sharma
કોઈ મારે આંગણે આવે નહીં;
ઉંબરાને કોઈ સમજાવે નહીં.
સાંકળો ભીડેલી ઉઘડાવે નહીં;
ઓકળીઓ કોઈ મહેકાવે નહીં.
દ્વારના તોરણનું ઠાલું ઝૂરવું;
કોઈ પગરવથી એ ભરમાવે નહીં.
મોર-પોપટ ક્યારના જંપી ગયા,
હું હીંચકાને ઠેસ થંભાવે નહીં.
છોગલાના રાતા રાતા કલરવો;
કોઈ ટહુકાનેય કોળાવે નહીં.
ને જવાનો નીડ વિખરાઈ જશે;
કોઈ સૂરજનેય સળગાવે નહીં.
રાતરાણી હીબકી પોઢી ગઈ;
ચન્દ્રને કો’ઓરડે લાવે નહીં.
સ્રોત
- પુસ્તક : બુદ્ધિપ્રકાશ : માર્ચ ૧૯૭૨ (પૃષ્ઠ ક્રમાંક 92)
- સંપાદક : યશવંત શુક્લ, મધુસૂદન પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા
