કોઈ દી પામ્યો નહીં એ ખીરને
koii dii paamyo nahiin ae khiirne
રાકેશ હાંસલિયા
Rakesh Hansaliya
રાકેશ હાંસલિયા
Rakesh Hansaliya
કોઈ દી પામ્યો નહીં એ ખીરને,
દોષ ના દીધો છતાં તકદીરને.
મુક્તિ એ કઈ રીતથી પામે કહો?
જે ઘરેણું માની લે જંજીરને!
સાવ કેવો છે જમાનો દોસ્તો!
હર વખત સાબિત થવાનું હીરને.
એ પહેલેથી જ ડૂબેલો હતો,
ઠેરવ્યું દોષી બધાંએ નીરને!
આપ થોડા એક તરફ ઊભા રહો,
જોઈ રહ્યો છું આપની તસવીરને.
એના પર પ્હેરો પ્રથમ મૂકવો પડે,
જાણું છું એવાય પ્હેરેગીરને!
સ્રોત
- પુસ્તક : તારું શિખર તને મળી જશે (પૃષ્ઠ ક્રમાંક 46)
- સર્જક : રાકેશ હાંસલિયા
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2025
