koii dii paamyo nahiin ae khiirne - Ghazals | RekhtaGujarati

કોઈ દી પામ્યો નહીં એ ખીરને

koii dii paamyo nahiin ae khiirne

રાકેશ હાંસલિયા રાકેશ હાંસલિયા
કોઈ દી પામ્યો નહીં એ ખીરને
રાકેશ હાંસલિયા

કોઈ દી પામ્યો નહીં ખીરને,

દોષ ના દીધો છતાં તકદીરને.

મુક્તિ કઈ રીતથી પામે કહો?

જે ઘરેણું માની લે જંજીરને!

સાવ કેવો છે જમાનો દોસ્તો!

હર વખત સાબિત થવાનું હીરને.

પહેલેથી ડૂબેલો હતો,

ઠેરવ્યું દોષી બધાંએ નીરને!

આપ થોડા એક તરફ ઊભા રહો,

જોઈ રહ્યો છું આપની તસવીરને.

એના પર પ્હેરો પ્રથમ મૂકવો પડે,

જાણું છું એવાય પ્હેરેગીરને!

સ્રોત

  • પુસ્તક : તારું શિખર તને મળી જશે (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : રાકેશ હાંસલિયા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025