Ek Sarakha Divas - Ghazals | RekhtaGujarati

એક સરખા દિવસ

Ek Sarakha Divas

પ્રભુલાલ દ્વિવેદી પ્રભુલાલ દ્વિવેદી
એક સરખા દિવસ
પ્રભુલાલ દ્વિવેદી

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

એથી શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી

શૂરા જે મુસીબત જોઈ મુંઝાતા નથી.

ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે

જે ચઢે, તે તે પડે નિયમ પલટાતા નથી.

સ્રોત

  • પુસ્તક : મીઠા ઉજાગરા (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : વિનયકાંત દ્વિવેદી
  • પ્રકાશક : વિનયકાંત દ્વિવેદી
  • વર્ષ : 2001